આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ મામલે સૌથી મોટા સમાચાર : સરકારે લીધો આ નિર્ણય…

gujarat curfew today

 

અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. આજે રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થવા થાય એ પહેલાં જ સરાકરે મોટી જાહેરાત કરી છે. આજે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ રાજીવ ગુપ્તા વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે ઉઠાવી લેવો કે પછી હજુય યથાવત રાખવો તે મુદ્દે ચર્ચા થઇ હતી. જેમાં હાલમાં ઓમિક્રોનના ડરને ધ્યાને લઇને સરકારે રાત્રિ કરફ્યુંને યથાવત રાખ્યો છે. જોકે, રાત્રીના કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. cr 3  

 

હવે રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. 8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે. લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ અપાઈ છે. લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્ રખાઈ છે. કરર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર કર્યું છે.   cr 4

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત્
  • રાત્રીના કર્ફ્યુમાં કરવામાં આવ્યો ઘટાડો
  • રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • 8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
  • લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ
  • લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્

  cr 5   cr 6     curfew 2  

આ પહેલા સિનેમા હૉલ અને સ્પા સેન્ટરમાં આપી હતી છૂટછાટ
ગત 30 ઓક્ટોબરે જાહેર કરેલી માર્ગદર્શિકામાં સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. લાંબા સમય બાદ સ્પા સેન્ટર ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી સ્પા સેન્ટર ખુલ્લા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ સ્પા માલિક સહિત કર્મચારીઓ તેમજ સ્પામાં આવનાર ગ્રાહકે કોરોના રસી લીધેલી હોવી ફરજિયાત રાખવામાં આવી છે.

 

WHO એ જાહેર કરી ચિંતા 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં ખતરાને ખૂબ જ ગંભીર શ્રેણીમાં રાખ્યું છે અને WHO એ કહ્યું છે કે આ સંક્રમણ હવે આખી દુનિયામાં ખૂબ જ તેજીથી ફેલાઈ શકે છે. આ સિવાય અનેક વિસ્તારોમાં આ નવા વેરિયન્ટથી તબાહી પણ આવી શકે છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 13 દેશોમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ સામે આવી ચૂક્યા છે, એવામાં ભારત આફ્રિકાના દેશોમાં વેક્સિન સહિતની મદદ કરવા માટે આગળ આવ્યું છે. 

 

કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ ગાઈડલાઇન લંબાવી
ભારતમા કોરોના વાયરસને લઈને ફરીવાર ચિંતા વધી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ચિંતા વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટનાં કારણે પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે ભારતમા પણ કોરોના વાયરસને લઈને હાલમાં લાગુ ગાઈડલાઇનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમા કોરોના વાયરસથી બચવા માટે 21મી સપ્ટેમ્બરથી લાગુ એડવાઇઝરીને જ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને કડકાઇ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન: ભારતમા ઓમિક્રૉનનો એક પણ કેસ નહીં
કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મોટું નિવેદન આપ્યું છે. સંસદનાં શિયાળુ સત્રમાં સ્વાસ્થ્યમંત્રીએ એલાન કર્યું છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે ઓમિક્રૉનને લઈને નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું કે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ દુનિયભરનાં 14 દેશોમાં ફેલાયો છે પરંતુ ભારતમા હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. જૉ કોઈ એવો સંદેશ પ્રાપ્ત થાય કે કોઈ વ્યક્તિમાં ખતરો છે તો તેની તરત જ તપાસ કરવામાં આવશે અને હાલમાં જીનોમ સિક્વેન્સીંગ પણ કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *