હોળી અને ધુળેટી ઉત્સવને લઇને દ્વારકાના મંદિરમાં ભક્તો માટે દર્શનના સમયમાં થયો ફેરફાર

Dwarka holi

હોળી અને ધુળેટી ઉત્સવને લઇને દ્વારકાના જગતમંદિરમાં ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે… આજે સવારે 6 વાગ્યે નિત્યક્રમ મુજબ મંગળા આરતી કરવામાં આવી. બપોરે 1 વાગ્યા દરમ્યાન દર્શન ચાલુ રહેશે… બપોરે 1 થી 5 વાગ્યા દરમ્યાન મંદિર બંધ રહેશે… સાંજે 5 વાગ્યાથી ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે.

દ્વારકામાં દર્શનનો સમય
૧૭ માર્ચ – હોળી
મંગળા આરતી સવારે ૬-૦૦ વાગ્યે
નિત્ય દર્શન સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધી
મંદિર બંધ બપોરે ૧ થી સાંજે ૫ વાગ્યા સુધી
નિત્ય દર્શન સાંજે પાંચ વાગ્યાથી

તો આવતીકાલે ધુળેટીના દિવસે ફુલડોલ મહોત્સવની ઉજવણી થશે. આ દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે. સવારે 6 થી બપોરે 1 સુધી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. ત્યાર બાદ 1 થી 1:30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

૧૮ માર્ચ – ધુળેટી
મંગળા આરતી સવારે ૬-૦૦ વાગ્યે
નિત્ય દર્શન સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધી
મંદિર બંધ બપોરે ૧ થી ૧-૩૦ વાગ્યા સુધી
ઉત્સવ આરતી બપોરે ૧-૩૦ વાગ્યે
ફુલડોલ ઉત્સવ દર્શન બપોરે 1.30થી 3.30 વાગ્યા સુધી
મંદિરબંધ બપોરે 3.30 વાગ્યાથી 5 વાગ્યા સુધી
નિત્ય દર્શન સાંજે પાંચ વાગ્યાસુધી

1:30 વાગ્યે ખાસ ઉત્સવ આરતી થશે. 1:30 થી 3:30 વાગ્યા સુધી ભક્તો ફુલડોલ ઉત્સવના દર્શન કરી શકશે. જે બાદ 3-30 વાગ્યાથી 5 વાગ્યા સુધી મંદિર ફરી બંધ રહેશે. 5 વાગ્યાથી મંદિરમાં નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે.

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *