પ્રયાગરાજ માં એક જ પરિવારના 5 લોકોની હત્યા

પ્રયાગરાજમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી છે. એટલું જ નહીં ઘટના બાદ આરોપીઓએ ઘરને આગ લગાવી દીધી હતી. ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ પરિવારના સભ્યોની ઈંટો અને પથ્થરો વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે.

આ ઘટના અંગે પ્રદીપ કુમાર યાદવે પોલીસને જાણ કરી હતી. પ્રદીપે પોલીસને જણાવ્યું કે તેના ભાઈ અને ભાભીની કોઈએ હત્યા કરી છે. આ સાથે પરિવારના અન્ય ત્રણ સભ્યોની પણ હત્યા કરવામાં આવી છે. સામૂહિક હત્યાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

5 લોકોની હત્યા બાદ ખળભળાટ

તે જ સમયે, એડીજી પ્રયાગરાજ ઝોન પ્રેમ પ્રકાશે કહ્યું કે પ્રારંભિક તપાસથી એવું લાગે છે કે લૂંટના ઇરાદે આવેલા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. એવી શંકા છે કે તેઓએ પુરાવાનો નાશ કરવા માટે ઘરને આગ લગાવી દીધી હતી. જો કે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક અને ડોગ સ્કવોડની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે.

માયાવતીએ ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી

BSP સુપ્રીમો માયાવતીએ પ્રયાગરાજ ઘટના પર ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની ક્રૂર હત્યાના સમાચાર ખૂબ જ દુઃખદ, નિંદનીય અને ચિંતાજનક છે. સરકારે ઘટનાના તળિયે જવું જોઈએ અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *